31.6 C
Gujarat
April 27, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયલાઈફ ઈન્સ્યોરન્સહેડલાઇન

એસયૂડી લાઈફે ભાવનગરમાં છેતરપિંડી યુક્ત વો નિષ્ફળ બનાવ્યો

ભાવનગર | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫: સ્ટાર યુનિયન દાઈ-ઈચી લાઈફ ઈન્શ્યોરન્સ (એસયૂડી લાઈફ), બે અગ્રણી પીએસયૂ બેંકો – બેંક ઑફ ઈન્ડિયા, યુનિયન બેંક ઑફ ઈન્ડિયા અને જાપાનની દાઈઈચી લાઈફ વચ્ચેની સંયુક્ત સાથીદારી છે, જેને ભાવનગર, ગુજરાતમાં એક સારી રીતે ઈન્શ્યોરન્સ ફ્રોડ નેટવર્કના ખોટા મરણ દાવાને રોકીને તેમની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.

આ કાર્યવાહી છેતરપિંડી પ્રત્યે એસયૂડી લાઈફની શૂન્ય સહનશીલતા અને વિમો ક્ષેત્રની નિષ્ઠા તથા પોલિસીધારકોના નાણાંઓના રક્ષણ પ્રત્યેની તેના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

જ્યારે પોલિસી નં. 02651367 હેઠળ મરણ દાવો દાખલ કરવામાં આવ્યો ત્યારે આ છેતરપિંડીય પ્રવૃતિ બહાર આવી. 30 ડિસેમ્બર, 2024ના રોજ જારી કરવામાં આવેલી આ પોલિસીમાં રૂ. 24 લાખનો મરણ લાભ હતો. નામાંકિત વ્યકતિ મુબારકભાઈ સમા શાહિનએ દાવો કર્યો હતો કે જીવિત વિમિત સમા મુબારકભાઈ પીરભાઈનું અવસાન 10 માર્ચ, 2025ના રોજ થયું હતું.

તેમ છતાં, એસયૂડી લાઈફની ફ્રોડ કંટ્રોલ યુનિટ (FCU) દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસમાં ખુલ્યું કે જીવીત વિમિત વ્યક્તિ હકીકતમાં જીવિત હતી.

FCU દ્વારા કરવામાં આવેલી તપાસમાં અન્ય ઘણી ગેરરીતિઓ પણ પ્રકાશમાં આવી. જીવીત વિમિત વ્યક્તિ પાસે બે મતદાર ઓળખપત્રો મળ્યા હતા, જેમાં ફોટોગ્રાફ્સ એકબીજા સાથે મેળ ખાતા નહોતા.

અગાઉ આપેલા દાવા ફોર્મમાં એસયૂડી લાઈફને આપેલા સરનામા દાવેદારના નહોતા, પરંતુ તે ભાવનગરના વિશાલ પરમારના હોવાનું બહાર આવ્યું. FCUની તપાસમાં જાણવામાં આવ્યું કે સમા મુબારકભાઈ પીરભાઈના નામે અન્ય વીમા કંપનીઓ પાસેથી પણ અનેક પોલિસીઓ લેવામાં આવી હતી, અને આઇન્સ્યોરન્સ દાવા માટે આધાર કાર્ડ, બેંક ખાતું અને આવકવેરાના રિટર્ન જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો તાજેતરમાં જ બનાવવામાં આવ્યા હતા અથવા અપડેટ કરવામાં આવ્યા હતા.

FCUની ટીમે એ ડૉક્ટરને પણ મુલાકાત લીધી હતી જેમણે કન્સલ્ટન્ટ સર્ટિફિકેટ આપ્યું હતું અને વિમિત વ્યક્તિને બીજા હોસ્પિટલમાં રેફર કર્યો હતો. જોકે, જ્યારે એસયૂડીના રેકોર્ડમાંથી મળેલ તસવીરો ડૉક્ટરને બતાવવામાં આવી, ત્યારે તેમણે વ્યક્તિને ઓળખવામાં નિષ્ફળ ગયા.

ફીલ્ડ મુલાકાતો દરમિયાન, FCUની ટીમે વિમિત વ્યક્તિના આપેલા સરનામે રહેણાંક મિલકતના માલિક સાથે પણ વાત કરી. માલિકે પુષ્ટિ કરી કે વિમિત વ્યક્તિ અને નામાંકિત બંને તે સ્થળે ભાડુઆત તરીકે રહેતા હતા.

મહત્વનું એ છે કે, ટીમે વિમિત વ્યક્તિના મોટા ભાઈ સાથે પણ મુલાકાત લીધી, જેણે ખુલાસો કર્યો કે સમા મુબારકભાઈ પીરભાઈ, જેનું મૃત્યુ થયેલું હોવું જોઈએ તે હિમત હોસ્પિટલમાં મગજના ટ્યુમર માટે સારવાર લઈ રહ્યો છે.

આ શોધખોળ બાદ, એસયૂડી લાઈફ દ્વારા ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ભાવનગર પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે સમગ્ર યોજનાનું મુખ્ય આયોજન વિસાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે VP Investigation Pvt. Ltd. અને M/s V P Associates નામની એજન્સીઓ ચલાવી હતી.

તપાસમાં આ પણ જાણવા મળ્યું કે પરમાર અને તેના સહયોગીઓ દેશભરના અનેક એજન્સીઓથી આઉટસોર્સિંગ અસાઇનમેન્ટ લઈ રહ્યા હતા. આ પ્રક્રિયામાં, તેમણે તપાસકર્તાઓને માનિવા માટે મજબૂર કરીને ખોટી રિપોર્ટ્સ બનાવવામાં તેમને પ્રેરિત કર્યું, જે દાવાઓ માટે વીમા કંપની દ્વારા પહેલાથી જ તપાસ ખર્ચ ચૂકવાયો હતો. ત્યારબાદ, આ અનિચ્છિત નફો તેઓ વચ્ચે વહેંચાયો હતો.

પરમારને, વિમિત વ્યક્તિ, નામાંકિત અને એક દલાલ સાથે 9 સપ્ટેમ્બરએ 2025 ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યા. તેઓ હજી પણ કસ્ટડીમાં છે.

આ ઘટનાક્રમે ટિપ્પણી કરતાં, શ્રી અશિષ ખુંગર, એસવીપી – ઓડિટ અને ફ્રોડ કંટ્રોલ યુનિટ, એસયૂડી લાઈફએ કહ્યું,આ કેસ મજબૂત છેતરપિંડી શોધવા માટેની વ્યવસ્થાતાનું પ્રદર્શન કરે છે. એસયૂડી લાઈફ અમારા પોલિસીધારકોના વિશ્વાસની સુરક્ષા અને વીમા પરિસ્થિતિને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી બચાવવા માટે કટિબદ્ધ છે.”

Related posts

ફરી જલ્દી હાર્વડમાં કથાગાનનાં મનોરથ સાથે રામકથાનું સમાપન; આગામી-૯૬૦મી રામકથાનો ૧૯ જૂલાઇથી સ્વિટ્ઝરલેન્ડથી થશે આરંભ

amdavadlive_editor

સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ટ્રેલર રજૂ કરાયું: શો 15મી નવેમ્બરે રિલીઝ થશે

amdavadlive_editor

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

amdavadlive_editor

Leave a Comment