May 13, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: ગત તારીખ ૮/૫/૨૫ના રોજ ઉતરકાશી પાસે ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દરેક વર્ષે હેલિકોપ્ટર દ્વારા ચારધામની યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા વધી રહી છે. ઉત્તરાખંડના વિવિધ સ્થળોથી યાત્રીઓ હેલિકોપ્ટર મારફતે ચારધામની યાત્રા કરે છે. ૮ મી મેના દીવસે એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરે દેહરાદૂન થી ગંગોત્રી નજીકનાં ખરસાલી જવા ઉડાન ભરી હતી અને તે દરમિયાન હેલિકોપ્ટર ઉતરકાશી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ કરુણ ઘટનામાં હેલિકોપ્ટમાં સવાર લોકોનાં મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મળતી માહિતી મુજબ પાયલોટ સહીત ચાર લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ રાશિ કથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.

Related posts

મેટા અને આયુષમાન ખુરાનાએ ઓનલાઇન છેતરપીંડીઓ સામે લોકોને સશક્ત કરવા હાથ મિલાવ્યા

amdavadlive_editor

Lenovo એ ભારતમાં ગેમર્સ માટે એન્ડ-ટુ-એન્ડ ડેસ્કટોપ કસ્ટમાઇઝેશન રજૂ કર્યા

amdavadlive_editor

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

amdavadlive_editor

Leave a Comment