40.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે

કેવી રીતે ઉજવશે 4 દિવસીય ઉત્સવ:
⇒ સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે
⇒ 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન
⇒ 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે
⇒ 23 જૂનના રોજ ગરબાનું આયોજન
⇒ મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ
⇒ વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જાઈને આમંત્રણ અપાશે

ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે. મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે.

વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે, ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે. આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું. મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરતું સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે. સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે. તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડશોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા

amdavadlive_editor

ઓફફશોર બેટિંગ અને રિયાલ્ટી એએસસીઆઈ એન્યુઅલ કમ્પ્લેઈન્ટ્સ રિપોર્ટ 2024-25માં સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યાં:ગ્રાહકો દ્વારા સંકેત આપેલી નિયમભંગ કરનારી જાહેરાતોમાં 83 ટકાનો ઉછાળો

amdavadlive_editor

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment