32.5 C
Gujarat
April 9, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. 
અકસ્માત ની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે. 

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં ક્લાસી વેગન લેધર ડિઝાઈન, સુપર AMOLED+ ડિસ્પ્લે અને શક્તિશાળી સ્નેપડ્રેગન સાથે ગેલેક્સી F55 5G રજૂ કરાયો

amdavadlive_editor

ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

amdavadlive_editor

ભારતમાં નવીનીકૃત તબીબી સાધનોની ગેરકાયદેસર આયાત પર PIL દાખલ કરવામાં આવી: ચિંતાઓ અને નીતિ ઉલ્લંઘન

amdavadlive_editor

Leave a Comment