31.5 C
Gujarat
June 18, 2026
Amdavad Live
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ માટે જાગૃતિ અને ચેરીટીરેઈઝ કરવાનો છે, આ રકમ જરૂરીયાતમંદમહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે.

ઈવેન્ટ દ્વારા સાયકલિંગઉત્સાહીઓ, ફિટનેસ ઉત્સાહીઓ અને કન્યા કેળવણી પ્રત્યે_ઉત્સાહી કોઈ પણને સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. એનજીઓની વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની વિગત ઉપલબ્ધ છે. નોંધણી અને ચેરીટી માટે 8401281256 તથા usfvadodara@udayancare.org સંપર્ક કરી શકાશે. પેડલિંગ કરીને જરૂરીયાતમંદ દિકરીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરશે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખુરાના, ડૉ. એમ.એસ. સ્વામીનાથન અને સર જે.સી. બોઝને શોધ માટે ‘એન્થે-2024’ લૉન્ચ કર્યું

amdavadlive_editor

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

amdavadlive_editor

ડેટોલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લિજેન્ડરી ‘કેપ્ટન કૂલ’ એમએસ ધોનીનું સ્વાગત કરે છે

amdavadlive_editor

Leave a Comment