32.4 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા (શ્રી કેતન વ્યાસ ) દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: બીજા દિવસે પણ સ્વિમિંગની રમત છવાઈ, અન્ય રમતોનો પણ પ્રારંભ થયો

amdavadlive_editor

માઇનીંગ ક્ષેત્રની સુનિલ મહેતાની તસવીરોનું અદભુત પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાયું

amdavadlive_editor

શાહિદ-તૃપ્તિની જોડી મોટા પડદે મચાવશે ધમાલ, એક્શન-થ્રિલરથી ભરપૂર હશે ફિલ્મ, વિશાલ ભારદ્વાજ કરશે ડિરેક્ટ

amdavadlive_editor

Leave a Comment