28.7 C
Gujarat
September 2, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નાગ પંચમીના દિવસે ગોગા મહારાજના નવચંડી મહાયજ્ઞનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા હંસપુરા ખાતે આવેલા સમૃદ્ધિ સ્કાયમાં જીગરકુમાર ઘનશ્યામભાઈ બારોટના ઘરે આશરે 21 વર્ષથી નાગ પંચમીના દિવસે ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ થાય છે

જીગરકુમાર ઘનશ્યામભાઈ બારોટ તેમને બધા ગોગા મહારાજ સરસપુર વાળાથી ઓળખે છે

નાગ પંચમીના દિવસે ઘણા બધા ભક્તો તેમના ઘરે ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે

નાગ પંચમીના દિવસે નવચંડી યજ્ઞમાં સાત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત થાય છે અને તેમાં 21 પ્રકારના જળઅભિષેક ગોગા મહારાજ પર કરવામાં આવે છે ત્યારબાદ ગોગા મહારાજની તથા ગોગા મહારાજના નવકુળ નાગદેવતા ની આવૃતિ અર્પણ કરીને ત્યારબાદ શ્રીફળ હોમીને દાદા ની પૂજા અર્ચના કરવામાં આવે છે

આ દિવસે જીગરભાઈ બારોટમાં પૂજા દરમિયાન સાક્ષાત ગોગા મહારાજના દર્શન થાય છે

ભગવાન શિવ અને નાગદેવતાનું વિશેષ સંબંધ હોવાથી આજના દિવસે ઘણા બધા શિવભક્તો પણ આ નવચંડી યજ્ઞમાં આવે છે અને ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે

બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચારને કારણે આખા ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને લોકો ને આર્થિક, સામાજિક, માનસિક રીતે બધાને શાંતિ મળે તેવી પ્રાર્થના જીગરભાઈ તરફથી ગોગા મહારાજને કરવામાં આવે છે

આ દિવસે આખો પરિવાર સાથે મળીને ગોગા મહારાજની પૂજા અર્ચના કરે છે.

== સમાપ્ત ==

Related posts

તણાવ 2 વોલ્યુમ 2 6ઠ્ઠી ડિસેમ્બરથી સ્ટ્રીમ થશેઃ હમણાં રોમાંચક ટ્રેલર જુઓ!

amdavadlive_editor

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

amdavadlive_editor

દ્રોણા સાયબર સોલ્યુશન્સ ‘સાયબર યોદ્ધા’ અભિયાન હેઠળ રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક્સ માસ્ટરક્લાસનું આયોજન કરે છે

amdavadlive_editor

Leave a Comment