39.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

ગુરુપૂર્ણિમા નિમિત્તે  ગાંધીનગરના સેક્ટર ૨૫માં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકોના માતા પિતા, શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
આ કાર્યક્રમ અંગે વાત કરતા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ.બેલાબેન જે. પટેલે કહ્યું કે,  ગુરુપૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વિકસાવવાનો છે. 
આ ગુરુપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમમાં અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાનું સંપૂર્ણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન કેમ્પસની આસપાસ ખૂબ જ સ્વસ્થ અને ફેસ્ટિવલ જેવો માહોલ ઉભો થઈ ગયો હતો.
આ અવસરે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર-૨૫ના ચેરમેન શ્રી બાબુદાદા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ. ડી.બી પટેલ, પ્રિન્સિપાલ શ્રી ડૉ. બેલાબેન જે. પટેલ અને ઈનોવર્તન ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અમરજીત સોની ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મેન્ટોસ ‘યસ ટુ ફ્રેશ ‘નો પરિચય આપે છે – સ્વાદ, આનંદ અને એક નવા દૃષ્ટિકોણની ઉજવણી

amdavadlive_editor

સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ સંચાલિત PSM હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એનાયત થયો એવોર્ડ

amdavadlive_editor

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadlive_editor

Leave a Comment