ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે. આ વોકેથોનનો ઉદ્દેશ્ય ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. ‘વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ’ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને દર્દીઓ, પરિવારો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને જાહેર જનતાને એકસાથે લાવશે. બાદમાં, તબીબી નિષ્ણાતો થેલેસેમિયા સંભાળમાં પડકારોને સંબોધશે અને તેના સંચાલનમાં તાજેતરની પ્રગતિઓ પર પ્રકાશ પાડશે.
નોવા આઇવીએફના આઇવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો.જયેશ અમીને આ પહેલ અંગે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે, “વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે આ વોકેથોન થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારોની શક્તિ અને દ્રઢતાને ટ્રિબ્યુટ છે. આ કાર્યક્રમ માત્ર થેલેસેમિયાના દર્દીઓના કારણ પ્રત્યે અમારો ટેકો જ નથી દર્શાવતો પરંતુ વહેલા નિદાન અને સારવાર માટે આનુવંશિક તપાસની જરૂરિયાત વિશે જાહેર જાગૃતિ પણ લાવશે.”
વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ નિમિત્તે નોવા આઇવીએફ વિંગ્સ વોકેથોનનો ઉદ્દેશ્ય યુગલોમાં ગર્ભધારણનું આયોજન કરતા પહેલા થેલેસેમિયાના પ્રારંભિક પરીક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
નોવા આઇવીએફ ફર્ટિલિટી વિશે :
નોવા આઇવીએફ ફર્ટિલિટી એ ભારતની સૌથી મોટી ફર્ટિલિટી ચેઇન્સમાંની એક છે અને તેને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ સાથે સમાવિષ્ટ કરવામાં આવી છે. એક દાયકાથી વધુના સરેરાશ આઇવીએફ અનુભવ સાથે, અમારા અત્યંત અનુભવી આઇવીએફ નિષ્ણાતો અને સારી રીતે પ્રશિક્ષિત ગર્ભશાસ્ત્રીઓ સાથે, નોવા આઇવીએફ ફર્ટિલિટીએ દેશમાં 88,000 થી વધુ ક્લિનિકલ ગર્ભાવસ્થા સફળતાપૂર્વક હાંસલ કરી છે. વિશાળ આંતરરાષ્ટ્રીય કુશળતા સાથે, ફર્ટિલિટી ચેઇન ભારતમાં પ્રક્રિયાઓ, પ્રોટોકોલ અને નીતિઓના અપવાદરૂપ અને નૈતિક ધોરણો લાવે છે. તબીબી વ્યવસ્થાપન, મૂળભૂત એઆરટી અને અદ્યતન એઆરટીની વ્યક્તિગત સારવાર યોજનાઓ મારફતે તમામ પ્રક્રિયાઓ હકારાત્મક ગર્ભાવસ્થાની તકોમાં નોંધપાત્ર સુધારો કરવાનો ઉદ્દેશ ધરાવે છે. નોવા આઇવીએફ ફર્ટિલિટી હાલમાં ભારતનાં 63 શહેરોમાં 98થી વધારે ફર્ટિલિટી સેન્ટર્સ ચલાવે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.novaivffertility. com/