April 8, 2025
Amdavad Live
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નેસ્લે ઇન્ડિયા અનોખા અનુભવો દ્વારા મહાકુંભ 2025મા હૂંફ અને એકતા લાવી રહ્યું છે

ગુજરાત, અમદાવાદ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: વાઇબ્રન્ટ ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશનના માધ્યમથી નેસ્લે ઇન્ડિયા મહાકુંભ 2025 માં હૂંફ, આરામ અને સમુદાયિક ભાવના જોડવા માટે સંપૂર્ણ તૈયાર છે. મેગી અને કિટકેટ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે કંપનીનું લક્ષ્ય વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક મેળાવડા વચ્ચે એકતા, આરામ અને આનંદની ક્ષણો પૂરી પાડતા દરેક મુલાકાતીના અનુભવને વધુ ખાસ બનાવવાનો છે.

આ ગતિવિધિઓના મૂળમાં મેગી મહા કુંભ ઝુંબેશ, “2 મિનિટ અપનો કે લિયે” છે, જે લોકોને એકસાથે લાવવામાં મેગીની ભૂમિકાને ઉજાગર કરે છે. મેગી એ ખાસ બ્રાન્ડેડ ઝોન અને સમર્પિત સેલ્ફી પોઈન્ટ્સ સ્થાપિત કર્યા છે, જ્યાં મુલાકાતીઓ મેગીના સ્ટીમિંગ બાઉલનો આનંદ માણી શકે છે અને તેમની “મેગી મોમેન્ટ્સ”ને કેપ્ચર કરી શકે છે. તેની સામુદાયિક પહેલના ભાગ રૂપે નેસ્લે ઇન્ડિયાએ સફાઈ કર્મચારીઓને 12,000 ધાબળાનું વિતરણ કર્યું અને 2 મિનિટનું મેગી ભોજન પીરસ્યું, જેનાથી એ લોકોને હૂંફ અને પોષણ મળ્યું જેમણે આ આયોજનને શક્ય બનાવવામાં યોગદાન આપ્યું.

આ પહેલ પર ટિપ્પણી કરતા નેસ્લે ઇન્ડિયાના, તૈયાર વાનગી અને રસોઈ કલા સહાયતાના ડિરેકટર રૂપાલી રતને જણાવ્યું હતું કે, “આ મહાકુંભમાં નેસ્લે મેગીએ પોતાના અભિયાન, ‘2 મિનિટ અપનો કે લિયે’ દ્વારા લોકોને એકસાથે લાવ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય ઘરોનો પ્રિય હિસ્સો રહેલી મેગી હંમેશા એકતાનું પ્રતીક રહી છે. આ અભિયાન દ્વારા મેગીએ કુંભ મેળામાં લોકો માટે મેગી કોર્નર્સ-રેસ્ટિંગ પોડ્સની સ્થાપના કરી છે જેથી એવી જગ્યાઓ બનાવી શકાય જ્યાં લોકો જોડાઈ શકે, વાર્તાઓ શેર કરી શકે અને સાર્થક યાદો બનાવી શકે. આ સિવાય મેગીએ જવાબદાર કચરા વ્યવસ્થાપન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પણ પુષ્ટિ કરી છે. કુંભ મેળાને સ્વચ્છ રાખવા માટે અથાક મહેનત કરતા કચરા વ્યવસ્થાપન વ્યાવસાયિકો (સફાઇકર્મચારી)ના સમુદાયનું સન્માન કરીને, મેગી તેમને શિયાળા દરમિયાન ગરમ રહેવામાં મદદ કરવા માટે મેગી ભોજન અને ધાબળા આપશે.”

આરામની ક્ષણ શોધનારાઓ માટે કિટકેટ બ્રેક ઝોન એક્ટિવેશન કિટકેટના “ટેક અ બ્રેક” પ્રસ્તાવને જીવંત બનાવે છે. મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરેલા રેન બસેરા આશ્રયસ્થાનોમાં રિસાયકલ બેન્ચ પર આરામ કરી શકે છે જે કિટકેટ બ્રેક ઝોન તરીકે પણ કામ કરે છે, જે આરામ અને સ્થિરતાનું મિશ્રણ છે.

નેસ્લે ઇન્ડિયાના કન્ફેક્શનરીના ડિરેક્ટર ગોપીચંદર જગદીસને જણાવ્યું હતું કે, “આ વર્ષે અમે અમારી બ્રાન્ડ ફિલોસોફીને લઈને મહાકુંભમાં ગયા છીએ, કિટકેટનો આનંદ માણો. અહીં અમે એક સમર્પિત કિટકેટ ઝોન બનાવ્યો છે, જ્યાં અમે કિટકેટના રેપર્સમાંથી રિસાઇકલ કરેલી બેન્ચ બનાવી સ્થાપિત કરી છે, જે મુલાકાતીઓને આરામ જ નહીં પરંતુ સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે.

નેસ્લે ઇન્ડિયા મહાકુંભ 2025ના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે, આરામ અને જોડાણની હૃદયસ્પર્શી ક્ષણો બનાવી રહ્યું છે, એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે મુલાકાતીઓ પ્રિય યાદો અને એકતા અને સમુદાયની ઊંડી ભાવના સાથે જાય.

Related posts

સ્કાય ફોર્સનું ટ્રેલર લોન્ચ થયું: વીરએ અક્ષય કુમાર સાથેના તેના સંબંધો વિશે ખુલ્લું નિવેદન આપ્યું, કહ્યું ‘તે મારા માટે મોટો ભાઈ બન્યો’

amdavadlive_editor

ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત

amdavadlive_editor

એસેટસં મિશ્રણમાં વધતું ડાઈવર્સિફિકેશનઃ સિક્યોર્ડ પ્રોડક્ટો મજબૂત યોગદાન આપી રહી છેઃ 9MFY25 એનઆઈએમ 9.0%

amdavadlive_editor

Leave a Comment