30.3 C
Gujarat
September 20, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી, 9 નવેમ્બર, 2025ના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હેઠળ નેચરોપેથી દિવસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમની માહિતી INOના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનંત બિરાદારે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી.

આ કાર્યક્રમ 9 નવેમ્બર, 2025ના રોજ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી વલ્લભ સદન, રિવર ફ્રન્ટ, ડી બ્લોક, અમદાવાદ, ગુજરાત ખાતે યોજાવા જઈ રહ્યો છે. જેમાં સમૂહ સૂર્યસ્નાન, ફેસ મડ પેક, વૃક્ષાસનને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ (IEA) બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સમાવવામાં આવશે. તમને જણાઈએ કે, આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને INOના સભ્યો, નિસર્ગોપચારકો, યોગ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા ભાગ લેશે. આ માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ યોગ સેવક શિશપાલ દ્વારા આપવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં, INO ગુજરાતના પ્રમુખ શ્રી મુકેશ ભાઈ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોપોલિટન, ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના નિસર્ગોપચાર અને યોગના ડોકટરો અને વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમનું હૃદયપૂર્વક સ્વાગત છે. સાથે અમદાવાદ મેટ્રોપોલિટનના સામાન્ય જનતાને પણ આ નિસર્ગોપચાર અભિયાનમાં ભાગ લેવા અને તેને સફળ બનાવવા વિનંતી કરે છે.

આ પત્રકાર પરિષદમાં INO ગુજરાતના અધિકારીઓ શ્રી જીતુ ભાઈ પંચાલ, ડૉ. હિતેશ ભાઈ શાહ, રૂહી સંઘવી, ડૉ. હેતલ શાહ, ડૉ. પલક ત્રિવેદી, યોગાચાર્ય ડિમ્પલ પટેલ, ડૉ. નારાયણ બોહિતે, ડૉ. રાઘવ પૂજારા અને અન્ય વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યા હતા.

********

Related posts

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

amdavadlive_editor

એસેટસં મિશ્રણમાં વધતું ડાઈવર્સિફિકેશનઃ સિક્યોર્ડ પ્રોડક્ટો મજબૂત યોગદાન આપી રહી છેઃ 9MFY25 એનઆઈએમ 9.0%

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment