43 C
Gujarat
April 27, 2026
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નથિંગે આજે જાહેરાત કરી 4 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યે ફોન (3a) સીરીઝનું અનાવરણ કરશે

ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે આજે તેના નવીનતમ કોમ્યુનિટી ક્વાર્ટરલી અપડેટ વિડીયોમાં જાહેરાત કરી છે કે તે 4 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યે IST પર તેના ફોન (3a) સીરીઝનું અનાવરણ કરશે. આગામી લોન્ચ વિશે સૂચના મેળવવામાં રસ ધરાવતા લોકો ફ્લિપકાર્ટ પર સાઇન અપ કરી શકે છે.

અપડેટ દરમિયાન નથિંગના કો-ફાઉન્ડર અકીસ ઇવેન્જેલિડિસને શેર કર્યું: “(a) સીરીઝ માટે અમારી પાસે અલગ-અલગ પ્રકારના વપરાશકર્તાઓ છે. જ્યારે લોકો સ્માર્ટફોન ખરીદે છે, તો કેટલાક લોકો શ્રેષ્ઠ સ્પેસિફિકેશનની શોધમાં હોય છે, તેઓ લેટેસ્ટ ઇનોવેશન અને પ્રોસેસર ઇચ્છે છે. તેમ છતાં પણ કેટલાક અન્ય વપરાશકર્તા જે ટેક્નોલોજી અંગે સમાન રીતે ઉત્સાહિત છે પરંતુ માત્ર એક શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવથી ખુશ છે – આ જ એ છે જેના માટે (a) સીરીઝ છે. અમે હકીકતમાં કેમેરા, સ્ક્રીન, પ્રોસેસર અને ચોક્કસ પણે ડિઝાઇનના સંદર્ભમાં મુખ્ય વપરાશકર્તાની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

વધુમાં નથિંગે અપડેટમાં ખુલાસો કર્યો કે કંપનીએ ઓક્ટોબર 2020માં તેની સ્થાપના પછીથી આજીવન આવકમાં 1 અબજ ડોલરને વટાવી દીધી છે, જે માત્ર ચાર વર્ષ પહેલાંની છે.

નથિંગના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર, ટિમ હોલ્બ્રોએ ઉમેર્યું કે “તેમાંથી અડધાથી વધુ આવક માત્ર ગયા વર્ષે એટલે કે 2024માં કરવામાં આવી છે અને સૌથી આનંદની વાત એ છે કે અમારો આમ જ કરવાનો ઇરાદો હતો. અમે 2024માં ફોન (2) અને ઇયર (2)ની સફળતાઓને આગળ લઇ જવાના ઉદ્દેશ્ય સાથે ફોન (2A), ફોન (2A) પ્લસ અને સીએમએફ ફોન 1 સાથે આગળ વધવાના ઉદ્દેશથી પ્રવેશ કર્યો. અમે એ પ્રોડક્ટસને બજારમાં લાવ્યા અને બિઝનેસની આસપાસ તમામ જગ્યાએ સ્કેલ બનાવવાનું શરૂ કર્યું. આથી સ્વાભાવિક છે કે અમને શાનદાર ટોપલાઇન રેવન્યુ ગ્રોથ મળે છે. તેને પ્રાપ્ત કરવો ખૂબ જ રોમાંચક છે. અમે એ જોવા પણ ઉત્સાહિત છીએ કે અમે 2025માં શું પ્રાપ્ત કરી શકીએ છીએ.”

કૃપ્યા ધ્યાનમાં લો: ફ્લિપકાર્ટ લિંક ફક્ત મોબાઇલ માટે છે.

Related posts

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

amdavadlive_editor

મહત્તત્ત્વનો વિરોધ કરનારા અનેક નીકળે છે, એ જ એની મહત્તા સિદ્ધ કરે છે.

amdavadlive_editor

માતા-પિતા બાળકો માટે જ્ઞાનાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપતા હોવાને લીધે ગુજરાતમાં એમેઝોન ટોય્ઝ એન્ડ બુક્સનાં વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ

amdavadlive_editor

Leave a Comment