39.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

જે અન્વયે આણંદ જિલ્લામાં નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આ વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર પ્રસાર અર્થે જનજાગૃત્તિ માટે જિલ્લામાં વ્યસનમુક્તિના વિવિધ કાર્યક્રમો યોજેલા છે.

જેના ભાગરૂપે વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખાતે આજરોજ વ્યસનમુક્તિ જાગૃત્તિ માટેનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સમાજમાં દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થોથી દુર રહેવા માટે અનુરોધ કરવાના આશયથી વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના પ્રિતીબેન અને દીપાબેનએ વિદ્યાર્થીઓને “નશાકારક પદાર્થોથી દૂર રહેવા” વિષય પર પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું .

-૦-૦-૦-

Related posts

યુનોનાં મંચ પરથી પહેલી વખત દુનિયાને રામ જન્મની વધાઇઓ મળી

amdavadlive_editor

લેક્સસ ઇન્ડિયાએ નવી LX 500d માટે બુકિંગનો પ્રારંભ, લક્ઝરી અને શાનદાર પરફોર્મન્સમાં પ્રભુત્વ

amdavadlive_editor

સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા

amdavadlive_editor

Leave a Comment